Search This Website

Wednesday 10 May 2023

બરફને કારણે પાચનતંત્રમાં થઈ શકે છે ગડબડ:ફેફસાને પણ થશે નુકસાન, શું ઘરમાં જમાવવામાં આવેલો બરફ પણ નુકસાનકારક છે?

બરફને કારણે પાચનતંત્રમાં થઈ શકે છે ગડબડ:ફેફસાને પણ થશે નુકસાન, શું ઘરમાં જમાવવામાં આવેલો બરફ પણ નુકસાનકારક છે?



ઉનાળામાં ઘરની બહાર નીકળતાં જ આપણને બધાને ખૂબ જ તરસ લાગે છે. આ તરસ છિપાવવા માટે આપણે ક્યારેક શેરડીનો રસ, ક્યારેક જ્યૂસ તો ક્યારેક લીંબુ-સોડા પીતા હોઈએ છીએ. આ બધામાં એક વસ્તુ જો સામાન્ય હોય તો એ છે બરફ.

કાળઝાળ ગરમીમાં બરફવાળું પાણી પીવું અને દૂધની ચાને બદલે આઈસ ટી અને કોલ્ડ કોફી પીવી સામાન્ય વાત છે.

આજે કામના સમાચારમાં આવો... જાણીએ કે બરફની સ્વાસ્થ્ય પર શી અસર થાય છે. શરદી અને ફ્લૂની સાથે-સાથે બરફથી આપણને કેવી રીતે નુકસાન પહોંચે છે. શું ઘરના રેફ્રિજરેટરમાં રાખેલો બરફ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?

આજના અમારા એક્સપર્ટ છે...

  • ડૉ. પી. વેંકટ કૃષ્ણન, ઇન્ટર્નલ મેડિસિન, આર્ટેમિસ હોસ્પિટલ, ગુડગાંવ
  • ડૉ. સાંઈ પ્રવીણ હરનાથ, પલ્મોનોલોજિસ્ટ, અપોલો હોસ્પિટલ, હૈદરાબાદ

પ્રશ્ન : આપણે બરફનું પાણી પીવું જોઈએ કે નહીં?
જવાબ:
 શક્ય હોય ત્યાં સુધી બરફનું પાણી પીવાનું ટાળવું. આપણે હંમેશાં રૂમ ટેમ્પરેચર પર રહેલું પાણી પીવું જોઈએ. એનો અર્થ એ છે કે ન તો ખૂબ ઠંડું અને ન તો ખૂબ ગરમ પાણી પીવું.

પ્રશ્ન : ગરમીમાં બહારથી આવ્યા પછી બરફ ઉમેરીને કોલ્ડ કોફી, જ્યૂસ કે પાણી પીવાથી શું નુકસાન થાય છે?
જવાબ :
 જ્યારે આપણે તડકાંમાંથી આવ્યા પછી સીધું બરફનું પાણી પીતા હોઈએ છીએ, ત્યારે આ પાણી શરીરના તાપમાન સાથે મેળ ખાતું નથી અને શરીરનું તાપમાન બગડે છે, જે આપણી બીમારીનું કારણ બની શકે છે. બરફના પાણીની આપણા પાચનતંત્ર પર સીધી અસર પડે છે.

ચાલો... જાણીએ બરફ નાખીને ખાવા-પીવાથી થતા રોગો…


હેપેટાઇટિસ : જો ચોખ્ખા પાણીથી બરફ જમાવવામાં ન આવ્યો હોય, પાણી ગંદું હોય તો એમાંથી હેપેટાઇટિસ A અને E વાઇરસનું જોખમ રહેલું છે. કેટલીકવાર ઘરના રેફ્રિજરેટરમાં પણ મહિનાઓ સુધી બરફ જામેલો રહે છે. ત્યાં ગંદકી પણ છે, જે બીમારીનું કારણ બને છે. કમળો થવા પાછળ પણ આ જ કારણ છે.

માઈગ્રેન : બરફથી માઈગ્રેન પીડિતોને અન્ય લોકો કરતાં વધુ મુશ્કેલી થઈ શકે છે. જ્યારે તમે ઠંડું પાણી પીવો છો ત્યારે એ તમારા નાક અને શ્વસન માર્ગમાં સમસ્યા થાય છે, જે માઈગ્રેનનો દુખાવો વધારે છે.

ગળામાં દુખાવો : બરફનું પાણી પીવાથી નાકમાં શ્વસન મ્યુકોસા બનાવવામાં મદદ મળે છે, જે શ્વસન માર્ગનું રક્ષણાત્મક સ્તર છે. જ્યારે આ લેયર જામી જાય છે ત્યારે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. શ્વસન માર્ગમાં અનેક પ્રકારની સમસ્યા થાય છે, જેનાથી ગળામાં દુખાવો થાય છે.

પ્રશ્ન : શું ક્યારેય એવો સમય આવશે, જ્યારે આપણે બરફનું પાણી પી શકીએ?
જવાબ :
 ના,કોઈપણ સમયે પીવાની તબીબી રીતે સલાહ આપી શકાય નહીં. બરફનું પાણી દરેક સમયે હાનિકારક છે.

પ્રશ્ન : બરફનું પાણી પીવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે?
જવાબ :
 અમે એની વિગતો નીચે આપી રહ્યા છીએ...

શરીર હાઇડ્રેટ નથી રહેતું : બરફનું પાણી પીવાથી શરીર યોગ્ય રીતે હાઇડ્રેટ થતું નથી. જમ્યા પછી તરત જ બરફનું પાણી ક્યારેય ન પીવું. તે શરીરને નુકસાન પહોંચાડે છે.

પોષકતત્ત્વોની ઊણપ : સામાન્ય રીતે શરીરનું તાપમાન 37 ડીગ્રી સુધી હોય છે, જ્યારે તમે બરફનું પાણી પીવો છો ત્યારે શરીરને તાપમાન જાળવી રાખવા માટે ઘણી શક્તિ ખર્ચવી પડે છે, જેનો ઉપયોગ ઊર્જા પાચન અથવા પોષકતત્ત્વોનું નિરીક્ષણ કરવા માટે થાય છે. બધી શક્તિ બરફનું પાણી પચાવવાનું શરૂ કરે છે, જેને કારણે શરીરમાં પોષકતત્ત્વોની ઊણપ થાય છે.

સ્થૂળતા : બરફનું પાણી સતત પીવાથી શરીરમાં રહેલી ચરબી સરળતાથી બર્ન થતી નથી. આ કારણ છે કે ઠંડું પાણી ચરબીને સખત બનાવે છે, જેના કારણે વજન ઘટાડવામાં મુશ્કેલી થાય છે.

તરસ ઓછી થાય છે : જ્યારે પાણી ખૂબ ઠંડું હોય છે ત્યારે થોડું પાણી પીવાથી પણ તમને એવું લાગશે કે તમે ઘણું પાણી પી લીધું છે. એ તમારી તરસને કંટ્રોલ કરે છે. એનાથી તમારા શરીરમાં પાણીનું પ્રમાણ પણ ઘટી જાય છે. ડોક્ટરના મતે, આપણે હંમેશાં 20થી 22 ડીગ્રી તાપમાનનું જ પાણી પીવું જોઈએ.

પ્રશ્ન : ઘરના રેફ્રિજરેટરમાં જમાવવામાં આવેલો બરફ પણ શું નુકસાન કરે છે?
જવાબ :
 વાસ્તવમાં બરફ બનાવવા માટે વપરાતું પાણી ખૂબ મહત્ત્વનું છે. ઘરે, તમે એને RO પાણી અથવા ફિલ્ટર કરેલું પાણીથી જમાવો છો. એને કારણે તે એટલું નુકસાન થતું નથી. આમ છતાં બરફનું પાણી પીવાનું ટાળો અને જો તમે ક્યારેક ક્યારેક પીતા હો તો પણ બરફની ટ્રે અને ફ્રીઝરને સાફ રાખો.

પ્રશ્ન : બહારથી મગાવવામાં આવતા બરફમાં શું નુકસાન છે?
જવાબ :
 બહાર જે બરફ જોવા મળે છે એ કૃત્રિમ છે. એને સેટ કરવાની રીત આરોગ્યપ્રદ નથી. લાંબા સમય સુધી જમાવી રાખવા માટે આમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.

જો બરફને જામવા માટે વધુ કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે તો એ પાચન બગાડે છે. જો તમે બરફનું પાણી વધુ પીવો છો તો કાર્બન મોનોક્સાઇડના અણુઓ પેટમાં જાય છે, તો ફેફસાં પણ ખરાબ થાય છે. ફૂડ રેગ્યુલેટરી ઓથોરિટીનો એક રિપોર્ટ પણ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય પદાર્થોને ઠંડું કરવા માટે ઉપયોગમાં લેવાતો બરફ ખતરનાક છે. એ જ સમયે રસ્તાની બાજુના બરફના ગોળાથી માંડીને જ્યૂસ સુધી ફક્ત ફેક્ટરીમાં બનાવેલા બરફનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન : બજારમાં ઉપલબ્ધ બરફ એટલે કે કૃત્રિમ બરફ કેવી રીતે જામી જાય છે?
જવાબ:

  • બરફ બનાવવા માટે ફેક્ટરીમાં બરફના ડબ્બા રાખવામાં આવે છે.
  • આ બરફના ડબ્બાઓમાં એમોનિયા ગેસ ભરવામાં આવે છે.
  • ગેસ ટાંકીમાં પ્રવેશ્યા પછી એ પ્રવાહી બને છે.
  • કૂલિંગ કોઇલની મદદથી ગેસ વરાળમાં ફેરવાય છે.
  • ટાંકીમાં પહેલેથી જ 30% સુધી મીઠું છે.
  • ટાંકીમાં ભેજ 15 F સુધી લાવવામાં આવે છે.
  • હવે છેલ્લે એમાં પાણી ભરાય છે.
  • જ્યારે પાણીનું ઊંચું ઠંડું બિંદુ 30 F હોય છે ત્યારે એ બરફ બની જાય છે.
  • બરફ બનવામાં લગભગ 18 કલાક લાગે છે.

પાણીની અછત ધરાવતાં અનેક સ્થળોએ બરફ બનાવવા માટે ગંદા પાણી અને કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી પેટ સંબંધિત બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.

સવાલ : કેટલાક લોકોને બરફ ખાવાની આદત પણ હોય છે, એનાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે?
જવાબ :
 બરફ ખાવાથી એનિમિયાનું કોમ્પ્લિકેશન થાય છે અને આહારસંબંધી ઘણી સમસ્યાઓ થાય છે.

  • આ દાંતના દંતવલ્કને નુકસાન પહોંચાડે છે અને દાંતના સડોનું કારણ બને છે. મોઢાની ઘણી સમસ્યાઓ, જેવી કે સંવેદનશીલતા અને દુખાવો પણ થવા લાગે છે.
  • બરફ ખાવાથી ધમનીઓ પર અસર થાય છે અને એ સંકોચાય જાય છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે.
  • બરફ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે, જેના કારણે શરદી અને ફ્લૂ જેવી સમસ્યા રહે છે.
  • બરફ ખાવાથી મળ સખત થઈ જાય છે, જેનાથી આંતરડામાં અલ્સર થઈ શકે છે.

પ્રશ્ન : લોકોને બરફ ખાવાની ઈચ્છા કેમ થાય છે?
જવાબ :
 કેટલાંક કારણો નીચે આપેલાં છે...

એનિમિયા : આયર્નની ઊણપને કારણે લોકો બરફ ખાય છે. આ લોકોમાં લોહીની ઊણપ જોવા મળે છે જેને એનિમિયા કહેવાય છે. આ રોગમાં RBC એટલે કે લાલ રક્તકણોનું લેવલ ઘટી જાય છે. આ ઓક્સિજન શરીરને મેળવવા માટે જરૂરી છે. આયર્નની ઊણપ આ કોષોનું લેવલ ઘટાડે છે, જેના કારણે બરફ ખાવાની ઈચ્છા વધી જાય છે.

ગર્ભાવસ્થા અને પિરિયડ્સ : આ બંને સ્થિતિમાં મહિલાઓના શરીરમાં આયર્નની ઊણપ હોય છે, તેથી જ તે બરફ ખાય છે.

પોષકતત્ત્વોની ઊણપ : પોષકતત્ત્વોની ઊણપને કારણે પણ બરફ ખાવાની ઈચ્છા વધી જાય છે. આ સ્થિતિમાં દર્દીને બરફના ગોળા, બરફનું શરબત કે ઠંડા પીણા પીવાની ઈચ્છા થાય છે.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *