Search This Website

Tuesday 28 November 2023

વિટામિન B12 ની બેટરી કરો ફૂલ આ ઘરેલુ ઉપચારથી

વિટામિન B12 ની બેટરી કરો ફૂલ આ ઘરેલુ ઉપચારથી.

આપણા શરીરમાં દરેક અંગ ને કામ કરવા માટે જુદા-જુદા વિટામીન ની જરૂર હોય છે. આવી જ રીતે ખુબજ ઉપયોગી એવું વિટામિન B12 જરૂરી છે. શાકાહારી વ્યક્તિ હોય પરંતુ ભોજન માં દૂધ નો ઉપયોગ ઓછો હોવાને કારણે તે ખામી જોવા મળે છે. વિટામિન બી 12 ના કારણે શરીર માં કમજોરી ઉપરાંત સ્કિન પર કાળા ડાઘ જેવી ખામી ઉદ્ભવી શકે છે.

Vitamin B12, જેને કોબાલામીન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ચયાપચયમાં સામેલ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. તે આઠ B વિટામિન્સમાંનું એક છે. તે પ્રાણીઓ માટે જરૂરી છે, જે ડીએનએ સંશ્લેષણમાં અને ફેટી એસિડ અને એમિનો એસિડ ચયાપચય બંનેમાં કોફેક્ટર તરીકે તેનો ઉપયોગ કરે છે. નર્વસ સિસ્ટમની સામાન્ય કામગીરીમાં તે મૈલિનના સંશ્લેષણમાં તેની ભૂમિકા દ્વારા અને અસ્થિ મજ્જામાં લાલ રક્ત કોશિકાઓની પરિપક્વતામાં રુધિરાભિસરણ તંત્રમાં મહત્વપૂર્ણ છે. છોડને કોબાલામીનની જરૂર હોતી નથી અને તેના પર નિર્ભર ન હોય તેવા ઉત્સેચકો સાથે પ્રતિક્રિયાઓ કરે છે.

વિટામિન B12 એ તમામ વિટામિન્સમાં સૌથી રાસાયણિક જટિલ છે, અને મનુષ્યો માટે, એકમાત્ર વિટામિન કે જે પ્રાણીમાંથી મેળવેલા ખોરાકમાંથી અથવા પૂરકમાંથી મેળવવું જોઈએ. માત્ર કેટલાક આર્કિયા અને બેક્ટેરિયા વિટામિન B12નું સંશ્લેષણ કરી શકે છે. વિકસિત દેશોમાં મોટાભાગના લોકો માંસ અથવા પ્રાણી સ્ત્રોતો સાથેના ખોરાકના વપરાશથી પૂરતા પ્રમાણમાં B12 મેળવે છે. વિટામિન B12 ધરાવતા ખોરાકમાં માંસ, છીપવાળી ખાદ્ય માછલી, લીવર, માછલી, મરઘાં, ઇંડા અને ડેરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ઘણા નાસ્તાના અનાજ વિટામિનથી મજબૂત હોય છે. વિટામિન B12 ની ઉણપની સારવાર અને નિવારણ માટે પૂરક અને દવાઓ ઉપલબ્ધ છે. તેઓ મોં દ્વારા લેવામાં આવે છે, પરંતુ ઉણપની સારવાર માટે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન તરીકે પણ આપવામાં આવે છે. 



વિટામિન બી 12 ના લક્ષણો

ચામડી નો રંગ ફિકો પડવો:- શરીરમાં લાલરક્ત કણો ની સંખ્યામાં ઘટાડો થવાને કારણે ચામડી અને આંખોની કિકી માં પીળો રંગ જોવા મળે.વિટામિન બી 12 વિના રક્ત કણ બનાવવા મુશ્કેલ છે.જેના કારણે mliganoblstik અને animiya જેવા રોગ થાય છે. તેના કારણે મોટા અને નાજુક રક્તકણો ઉતપન્ન થાય છે. જે રુધિર ના પરિવહન ને રોકે છે.તેના લીધે bilirubin જોવા મળેછે જે પિત્તાશય માં હોય છે. વધુ પડતા bilirubin ના કારણે ચામડી નો રંગ ફિકો પડે છે.

અશક્તિ આ એ થાક:- સામાન્ય રીતે વિટામિન બી 12 ની મદદથી અશક્તિ અને થાક લાગે છે.તેની ઉણપ ને લીધે શરીર માં રક્ત કણ બનતા નથી જેના કારણે ઓક્સિજન નું પૂરતું ભ્રમણ ન ત્વને કારણે થાક અને અશક્તિ લગે છે.

ખાલી જડી જવી:- વિટામિન ની ઉણપ ને કારણે જ્ઞાનતંતુઓ નબળાં પડી જાય છે.તે મજ્જાછેડ બનાવવામાં અગત્યનો ફાળો ભજવે છે.પરંતુ વિટામિન ની ઉણપ ને લીધે મજ્જાછેડ બનતા નથી તેના કારણે સોય કે ટાંકણી ની ખબર પડતી નથી અને ખાલી ચડી જાય છે.

ગતિશીલતા માં ફેરફાર:- તેના કારણે ચાલવા અને દોડવામાં ફેરફાર થાય છે. ૬૦ થી વધુ વય ના વ્યક્તિ માં જોવાં મળે છે. જો તેની સમયસર સારવાર લેવામાં આવે તો ગતિશીલતા માં ફેરફાર થઇ શકે છે.

મોંઢા માં ચાંદા પડવા:- વિટામીન બી 12 ના લીધે મોંઢા માં ચાંદા પડે છે જેના કારણે બોલવા અને ખાવામાં તકલીફ પડે છે. જીભ પર ચીરા પડવા અને જીભ જાડી થઈ જવી જેવા તેના સામન્ય લક્ષણો છે.

દ્રષ્ટિ નબળી પડવી:- વિટામિન ની ઉણપ થવાને લીધે ઓક્સિજન નું પરિભ્રમણ ઓછું થાય છે જેના કારણે જ્ઞાનતંતુઓ નબળા પડે અને આંખોનું તેજ ઘટે છે.

વિટામિન બી 12 મેળવવાના ઉપાયો

દહીંમાં પુષ્કળ પ્રમાણ માં વિટામિન બી 12 ,બી 1 અને બી 2 હોય છે તેમાં પણ લો ફેટ વારું દહીં માં વધુ પ્રમાણમાં હોય છે. ફ્લેવર વાળુ દહીં ને ખાવામાં ટાળવું જોઈએ.

સવારે નાસ્તામાં ઓટમીલ ખાવાથી સારા પ્રમાણમાં પોષણ અને વિટામિન બી 12 મળી રહે છે.

સોયાબીન ,સોયા તેલ સોયા પનીર વગેરે સોયા પ્રોડક્ટ ખાવી જોઈએ.

વધારે ફેટ વાળા દૂધ નો ઉપયોગ કરવાથી વિટામિન બી 12 મળે છે.

ચીજ નો ઉપયોગ કરવામાં તથા કોટેજ વાળા ચીજ નો ઉપયોગ કરવાથી વિટામિન બી 12 મેળવી શકાય.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *